આજ નાં મંગલદિને " શ્રીજી" અને "સૂર~સરગમ" ને એક વરસ પુરૂ થયું..! ...એ સાથે જ શુભ પ્રારંભ થઇ રહ્યો છે "અનોખુંબંધન" નો... જે અનોખું બંધન સદાય આપણી વચ્ચે રહેશે... આશા છે આપે જેટલો પ્રતિસાદ શ્રીજી અને સૂર~સરગમ ને આપ્યો, એવા જ સ્નેહથી આપ અનોખુ બંધન ને પણ વધાવી લેશો...!... શ્રીજી કૃપા, વડીલોનાં આશિર્વાદ તથા શ્રી ગોસ્વામી બાલકોની કૃપા દ્રષ્ટિ હંમેશા "શ્રીજી" પર રહી છે..અને મને ભક્તિ દર્શાવવાની પ્રેરણા મળતી રહી છે સાથે સાથે જ શ્રીજીનાં વહાલાં ભક્તો સાથે સત્સંગ કરવાનો
અમૂલ્ય લ્હાવો પણ પ્રાપ્ત થયો છે..!!.. સર્વે વૈષ્ણવોને મારાં જય શ્રીકૃષ્ણ..
...આજ નાં શુભ દિને મારાં એક્દમ પ્રિય એવા ભજનથી શ્રીજી સત્સંગ કરીએ...ખરેખર આ ભજનમાં જે ભાવો દર્શાવ્યાં છે, એ દરેક વૈષ્ણવોનાં હૈયાની ભાવ ભીની અભિવ્યક્તિ છે..!!
* Note *
મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!