~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Friday, May 02, 2008

..*.. Shri Mahaprabhuji ki jay ..*..

1161438166395

જગદગુરુ શ્રીમદ વલ્લભાધિશજી અને શ્રી ગોવર્ધનનાથજીનાં 531 મા પ્રાગટ્ય મહોત્સવ ની હાર્દિક વધાઇ..

Wednesday, March 19, 2008

..*.. રસિયા ..*..

રસિયા-પદ ફાગણ માસની શરૂઆતથી હોળી સુધી ખાસ ગવાય છે. રસિયા એટલે રસ ઉત્પન્ન કરનાર રસિક અને રસિક એ શ્રીઠાકોરજીનું એક નામ છે ... જેઓ વૈષ્ણવોનાં હૈયામાં ભક્તિ રસ ઉત્પન્ન કરાવે છે એ રસિક .. હોળી દરમ્યાન સર્વે ભક્તો ગોપ ગોપી બની જાય છે અને પ્રભુ સખા બની જાય છે ત્યારે બધા સાથે મળી ને હોળી રમે છે ... એવો ભાવ રાખી હોળી રસિયા-પદ ગવાય છે..

હોળી વિષયક અગાઉની પોસ્ટ.

*.. Holi ki badhai..*

...* હોલિકોત્સવ * ...

...* Holi * ...

...* હોળાષ્ટક * ...

..*.. હોળી રસિયા ..*..

અન્ય હોળી રસિયા

યા છલિયા બલ છેલને, મોહે મધુબન મેં લીની ઘેર પિચકારી સન્મુખ કીની ,

મેરી ગાગર દીની ઢેર. ઊંચે ઊંચે મહલ બનાઉં, બિચબિચ રાખું બારી,

સાંવરિયા કે દરશન પાઉં, પહિઓર કસુંબી સારી

ઠાડી મોંકો કર લઈ, તો મૈ ભોરીભોરીદેખે મેરી સાંસ તો,

દે લાખન ગારી. ફાગણ આવ્યો હે સખા, કેશુ ફુલ્યો રસાળ ,

હ્રદય ન ફુલી રાધીકા, ભ્રમર કનૈયા લાલ.

- મુંબઇથી નીતાબહેન કોટેચાનાં જયશ્રીકૃષ્ણ..

Wednesday, February 20, 2008

..*.. વસંતવધાઇ પદ (કીર્તન) ..*..

* રાગ વસંત *

આઇ ૠતુ-બસંત કી ગોપીન કિયે સિંગાર

કુમકુમ બરની રાધિકા સો નિરખતિ નંદકુમાર

આઇ ૠતુ-બસંત કી મૌરે સબ બનરાઇ

એકુ ન ફૂલૈ કેતકી ઔ ફૂલી બનજાઇ

શ્રી ગિરિરાજધરનધીર લાડિલૌ લલન-બર ગાઇએ

શ્રીનવનીત પ્રિય લાડિલૌ લલન-બર ગાઇએ

શ્રી મદમ મોહન પિય લાડિલૌ લલન-બર ગાઇએ

કુંજ કુંજ ક્રીડા કરૈં, રાજત રુપ-નરેસ

રસિક, રસીલૌ, રસભર્યૌ, રાજત શ્રીમથુરેસ

શ્રીગિરિરાજધરનધીર લાડિલૌ લલન બર ગાઇએ

..*.. કીર્તન ..*..

કીર્તન વિષે સમજુતી :-
*
..ભૂમંડલાચાર્ય શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિજીવોને આજ્ઞા કરી છે કે " કૃષ્ણ સેવા સદા કાર્યા" . શ્રીકૃષ્ણની સેવાએ પુષ્ટિ -માર્ગનું મુખ્ય અંગ છે. સેવાની સાથે સાથે કીર્તન સેવાને પ્રધાન અંગ ગણી છે. લીલા સૃષ્ટિના વિછુરેલા જીવને લીલા દ્રષ્ટિ મેળવવા, કેળવવા અને જાળવવા કીર્તન પદો અસરકારક કૃપા કરવા સમર્થ છે. પુષ્ટિમાર્ગમાં ગવાતાં અષ્ટસખાનાં કીર્તનો કોઇ સામાન્ય કવિત્વસૂચક પદ સાહિત્ય નથી કે નથી શબ્દોનો વિલાસ. એ તો છે સાક્ષાત્ સ્વરૂપાત્મક દૂતી સ્વરૂપો જે પ્રેમી ભકતોનો વિરહ સંદેશો એના પ્રિયતમ શ્રીઠાકોરજીને ભાવપૂર્વક પહોચાડે છે. કીર્તનમાં ધર્મી સ્વરૂપ એના ધર્મો અને લીલા શકિત સહિત નામ, રૂપ અને લીલા ત્રણે સ્વરૂપે બિરાજતું હોય છે. જલમાં માધુર્ય, પુષ્પમાં સુવાસ અને ધરતીમાં રસની જેમ. દાસત્વભાવથી ભકતમાં દૈન્યથી વિરહાર્તિ જાગે છે. વિરહ -આર્તિ પૂર્વક કીર્તન કરવાથી ચિતની એકાગ્રતા થાય છે.ચિતની એકાગ્રતાથી કીર્તન કરતાં કીર્તનમાં નિગૂઢરૂપે બિરાજતું ભગવદ્સ્વરૂપ ભકતની સામે પ્રગટ થાય છે.જેમ દીપક રાગ ગાતા દીવા પ્રગટ થાય છે તેમ ભાવ દ્રઢ અને ગાઢ થતાં શ્રી ઠાકોરજી વિશેષ કૃપાવંત થઇ ભકતને વશ થાય છે. માટે ભકતે અષ્ટસખાઓના સમયસમયના કીર્તનો ગાતાં ગાતાં શ્રીકૃષ્ણ સેવા કરવાની છે. શ્રીમહાપ્રભુજીએ જતિપુરામાં શ્રીનાથજીની સેવાની શરૂઆતમાં ભોગની સેવા રામદાસજી ચૌહાણને અને રાગની સેવા (ર્કીતન સેવા ) કુંભનદાસજીને સોંપી હતી. તેથી કહેવત પડી ગઇ કે બિના રાગ નહી ભોગ. શ્રીઠાકોરજી કીર્તન વિના ભોગ આરોગતા નથી. પ્રથમ રાગ (કીર્તન) પછી ભોગ. આથી ભગવદ્ સેવામાં કીર્તન પ્રધાન અંગ છે. પુષ્ટિ માર્ગમાં સેવા , કીર્તનમાં વર્ણિત ભગવદ્-લીલાના ગાનથી જ થાય છે. કીર્તન એ સેવાનું મુખ્ય અંગ હોવાથી તેનું મહત્વ વધુ છે, નવધા ભકિતથી એ આગળ પ્રેમલક્ષણા ભકિત છે. શ્રીગોકુલનાથજી આજ્ઞા કરે છે કે "ફલત્વં જ્ઞાનપૂર્વક સેવા કરણમ્" એટલે પુષ્ટિમાર્ગમાં "કીર્તન" ફલરૂપ સેવાનું એક અંગ છે.
મહતાં કૃપયા યદ્વત્ કીર્તન સુખદં સદા । ન તથા લૌકિકાનાં તુ સ્નિગધ ભોજન રૂક્ષવત્ ।। (નિ.લ.)
મહાનુભવોની કૃપાથી કીર્તન હંમેશા સુખ આપવાવાળું છે. સંસારી લૌકિક કીર્તન એવું સુખ આપનારું નથી . જેટલું ધી વાળુ ભોજન બધી ઇન્દ્રિયોને પોષણ આપે છે તેટલું લૂખું ભોજન પોષણ આપતું નથી. આમ મહાનુભાવોના ભાવથી કરેલું ર્કીતન પ્રભુ-સેવામાં તથા સેવાના અનોસરમાં આનંદદાયક છે. કીર્તનો સમય-સમય અને ઋતુ-ઋતુ અનુસાર ગવાય છે. અષ્ટસખાઓએ જેજે લીલાઓ દર્શન સમયે જોઇ તેનું અક્ષરશઃ વર્ણન તેમણે કીર્તનોમાં ગાયું છે. એટલે સેવા કરતાં કરતાં લીલાનું અવગાહન પણ કીર્તન દ્વારા ભકત કરી શકે છે. પ્રત્યેક બ્રહ્નસંબધી વૈષ્ણવના ધેર ઠાકોરજીની સેવા હોવી અનિવાર્ય છે. સેવા દરમ્યાન સમય સમયનાં કીર્તન સમજીને ગાવાથી સેવામાં અર્પૂવ આનંદ આવશે અને હૃદયમાં તે પ્રમાણે પ્રભુ માટે ભાવ જાગશે. ભાવ જાગતા પ્રભુ માટે પ્રેમ પ્રગટશે. પુષ્ટિમાર્ગમાં પ્રભુ ભપકાથી કે દંભથી નહિ રીઝે પણ ભાવથી રીઝશે. કીર્તન ગાતાં કીર્તનમાં રહેલી લીલાનો ભાવ હૃદયમાં જાગૃત કરવા કીર્તનનો અર્થ જા ણવો આવશ્યક છે. ભાવાર્થ સમજી જો વૈષ્ણવ કીર્તન કરશે તો તેના હૃદયમાં ભગવાન માટે ભાવ જાગશે. ભાવ જાગતાં સેવામાં તલ્લીનતા આવશે. શ્રીમહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે "ચેતઃતત્પ્રવણંસેવા" ચિતની એકાગ્રતા થવી એ જ સેવાની આધિદૈવિકતા છે. જો એમ ન થાય તો સેવા કેવળ ક્રિયાત્મિકા બનશે. આમ કીર્તનો સમજીને રોજ ગાવાથી સહજ રીતે કંઠસ્થ પણ થઇ જશે. ગૃહસેવામાં સમય અને ઋતુ અનુસાર કીર્તનમાં ભાવાર્થ સમજી ભાવપૂર્વક કીર્તન કરવાથી સેવામાં આનંદ આવશે. કીર્તન મધુર રાગથી ગવાય તો ધણું સારું. પણ રાગ ન ફાવે તો આપણને ઠીક પડે તે રીતે પણ ભાવપૂર્વક ગાવાં. પુષ્ટિમાર્ગમાં રાગ કરતાં ભાવનું ખૂબ મહત્વ છે.

Saturday, February 09, 2008

..*.. Shrinathji se milane ka ..*..

*

*** કહે છે કે શ્રીજી ને મેળવવા આસાન નથી ...જો આપણા કર્મો ની અંતરાય હોય તો એને લીધે પ્રભુ સુધી આપણી પ્રાર્થના જલદી પહોંચતી નથી, અને જેમનો પુણ્યોદય થયો હોય એમની પ્રાર્થના તરત પહોંચે છે...અને એ ભક્ત ને પ્રભુ દર્શન આપવા જરૂર પધારે છે ....તેથી એ ભક્તો જોડે સત્સંગ કરવાથી આપણે પણ પ્રભુ ને પામી શકીએ છીએ. શ્રીજી ને પામવા માટે સત્સંગ જ એક સહેલો ને સરળ ઊપાય છે... જ્યાં શ્રીજી ને વહાલા ભક્તો હોય ત્યાં પ્રભુ નિશ્ચિત હાજર રહે છે..!

..*.. Ora Aavo Shrinathji ..*..

ઓરા આવો તો વહાલા નિરખું શ્રીનાથજી
આંખલડી મારી પાવન થાયે શ્રીનાથજી
તમ સાથે જોડી પ્રિતડી શ્રીનાથજી
હૈયું હાથ રહ્યું જાય ના શ્રીનાથજી ઓરા આવો-----
કાનમાં કહેવી તમને વાતડી શ્રીનાથજી
મંગલ આશિષ વરસાવો શ્રીનાથજી ઓરા આવો---------
તમ કૃપાએ જીવનમાં ભાતડી શ્રીનાથજી
વૈષ્ણવોનો સંગ પામી શ્રીનાથજી ઓરા આવો-----------
બંસીના નાદે થઈ ઘેલી શ્રીનાથજી
વિશ્રામઘાટે ભાન ભૂલી શ્રીનાથજી ઓરા આવો-----------
હૃદયના દ્વાર ખુલ્લા મેલ્યા શ્રીનાથજી
આગમનની ઘડીઓ ગણાતી શ્રીનાથજી ઓરા આવો-------
જીવનપથ પર સંગ તારો શ્રીનાથજી
અંત સમયે સાથ સાધજો શ્રીનાથજી ઓરા આવો--------
***
Jayshrikrishna from Pravinaben Kadakiya - ( Houston Texas USA )

Saturday, November 24, 2007

..*.. Tulasi Vivaah ..*..

દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓ માં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં દિવા કરવામાં આવે છે.પ્રભુ ને રજાઇ, ગદ્લ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય છે. જેને ''રાત્રીજગો'' કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના તથા તત્સુખ નો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ નિવારણ કરે છે. તુલસીજી ભક્તિરૂપ છે. તે સ્વામીનીજીનાં શ્રીઅંગ ની સુગંધ છે. તે દ્વિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રીચરણ કમળમાં પધરાવવામાં આવે છે જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રીચરણ કમળમાં જ છે. જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય છે. તુલસી અલૌકિક દેહ ની દાતા છે અને ભગવદ્ ધર્મમાં પડતાં બધા પ્રતિબંધોને દૂર કરે છે.


Friday, November 23, 2007

..*.. Zagmagta taarlaa ..*..

ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો, સોના રૂપાની હવેલી હોજો...!

અમે અમારાં રણછોડજીને કેસરથી પૂજીશું, કેસર ના મળે ચંદનથી પૂજીશું, ચંદન થી સુંદર કસ્તૂરી હોજો..!

અમે અમારાં કાંનજીને ફૂલડાંથી સજાવીશું, ફૂલડાં ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓ થી સુંદર તુલસી હોજો..!

અમે અમારાં શામળીયા ને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપા થી સુંદર હિરલાં હોજો..!

અમે અમારા માધવ ને મંદિર માં પધરાવિશુ, મંદિર ના મળે તો અમે મનડામાં સજાવીશું, મનડા થી સુંદર ભાવ મારાં હોજો..!

ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો સોના રૂપાની હવેલી હોજો...!

Saturday, November 10, 2007

..*.. પ્રથમ વર્ષગાંઠ ..*..

આજ નાં મંગલદિને " શ્રીજી" અને "સૂર~સરગમ" ને એક વરસ પુરૂ થયું..! ...એ સાથે જ શુભ પ્રારંભ થઇ રહ્યો છે "અનોખુંબંધન" નો... જે અનોખું બંધન સદાય આપણી વચ્ચે રહેશે... આશા છે આપે જેટલો પ્રતિસાદ શ્રીજી અને સૂર~સરગમ ને આપ્યો, એવા જ સ્નેહથી આપ અનોખુ બંધન ને પણ વધાવી લેશો...!... શ્રીજી કૃપા, વડીલોનાં આશિર્વાદ તથા શ્રી ગોસ્વામી બાલકોની કૃપા દ્રષ્ટિ હંમેશા "શ્રીજી" પર રહી છે..અને મને ભક્તિ દર્શાવવાની પ્રેરણા મળતી રહી છે સાથે સાથે જ શ્રીજીનાં વહાલાં ભક્તો સાથે સત્સંગ કરવાનો અમૂલ્ય લ્હાવો પણ પ્રાપ્ત થયો છે..!!.. સર્વે વૈષ્ણવોને મારાં જય શ્રીકૃષ્ણ..
...આજ નાં શુભ દિને મારાં એક્દમ પ્રિય એવા ભજનથી શ્રીજી સત્સંગ કરીએ...ખરેખર આ ભજનમાં જે ભાવો દર્શાવ્યાં છે, એ દરેક વૈષ્ણવોનાં હૈયાની ભાવ ભીની અભિવ્યક્તિ છે..!!

મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે

મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..!

મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,

શબ્દ મળે કે ના મળે,મારે કવિતા તમારી કરવી છે...!

આવે જીવન માં તડ્કા ને છાયાં,સુખ દુ:ખના પડે ત્યાં પડ્છાયા,

કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે...!

હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં,

સંસાર ને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે..!

મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે,

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે..!

Thursday, October 11, 2007

..*..Shraavan Maas Hindora Darshan..*.. 1

( પવિત્ર સ્થળ - શ્રીગોવર્ધનનાથજી હવેલી. અલ્કાપુરી. વડોદરા. )

..*.. Shraavan Maas Hindora Darshan ..*.. 2

..Refresh the page to view this Darshan from beginning.

Monday, October 01, 2007

..*..Vaishnav jan to ..*..

આજે પુજ્ય ગાંધીબાપુ ની જન્મ જયંતિ નિમિતે પ્રસ્તુત છે એમનું એક પ્રિય ભજન, જે ભકત શ્રી નરસિંહ મહેતાજી એ રચેલું છે..!



  • ..વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે...
  • પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન ...
  • સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે'ની રે...
  • વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન...
  • સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે...
  • જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન...
  • મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે..
  • રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે... વૈષ્ણવ જન...
  • વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે....
  • ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન...
    • - નરસિંહ મહેતા

      Sunday, September 09, 2007

      ..*.. Janmashtmi - Sudan ..*..

      સુદાન માં ઉજ્વાયેલ જન્માષ્ટમી ઉત્સવ ની એક ઝલક ..!

      Tuesday, September 04, 2007

      ..*.. Happy Janmashtami ..*..

      * जन्माष्टमी के महाऊत्सवो की खुब खुब बघाई ! *
      *
      ..Jan-mash-tami Utsav, is very important day in Pushti Marg. The reason it is important, is very simple. It is the Praghtya (appearance) of Bhagwan Shri Krishna on the always pious land of Bharat Bhumi (India), Braj Bhumi - Gokul in particular. Not only for Pusti Marghiya Vaishnava’s, but for all Vedic Religious believers. They all celebrate this day. Shri Krishna is Purna Purshotam Bhagwan and every Vaishanav must celebrate this day with all his love and devotion.
      *
      In order to bless his beloved Bhakts (devotees) Purna Purshotam Bhagwan Shri Krishna took Pra-gha-tiya in the house of Shri Nandrai-ji in Shri Madh Gokul.
      *
      Nand-Maha-Ustav - Jan-mash-tami’s A-nand Maha-ustav. Maha-pra-bhu-ji Shri Vallabh celebrated Jan-mash-tami’s A-nand Maha-ustav.
      *
      First time in Kashi in the house of Seth Shri Purshotam-ji where all Devi-jeevas enjoyed the shak-shat (physically) Darshan of Shri Krishna. On Jan-mash-tami’s a-nand Maha-ustav day Shri Nandai-ji, Shri Yashoda-ji, appeared and gave their Dar-shan and enjoyed the Nand-Maha-Ustav. At the time of going back they asked Acha-riya-charan Shri Vallabh to ask Var-daan (boon), Shri Vallabh said “from now onward you should not appear in person, during Nand-Maha-Ustav day. On the Nand-Maha-Ustav day, the one who is dressed as Shri Nand and Shri Yashodha-ji, you can enter in them as Aa-vesh (influenced form)”. Even today Shri Vallabh-kul Balaks dress themselves as Shri Nandji and Shri Yashoda-ji on this very auspicious day.

      ..जय श्री क्रिष्नl ..

      Wednesday, August 01, 2007

      ...*...Shri Purushotam Mass in Sudan...*...

      .." જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા-કાળ ગુજરાત " એ કહેવત ને દુનિયા નાં કોઇ પણ દેશ માં વસનાર દરેક ગુજરાતીઓ એ સાર્થક કરી બતાવી છે..અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ને પણ જીવંત રાખી છે..!..આફ્રિકા ખંડ માં સુદાન નામ નાં દેશ માં પણ અમે ઘણાં ગુજરાતીઓ વસી રહ્યાં છીએ.. અહીં નથી કોઇ મંદિર કે નથી કોઇ હવેલી..કે ના તો કોઇ ઉપાશ્રય - દેરાસર કે ના કોઇ ગુરુદ્વારા ..! એમ છ્તાં પણ અમે બધાં દરેક તહેવાર ખુબ જ ધામ ધુમ થી ઊજવીએ છીએ. ચાહે હોળી હોય કે દિવાળી..૧૫ મી ઑગસ્ટ હોય કે ૨૬ મી જાન્યુઆરી..નવરાત્રી હોય કે દશેરાં...જન્માષ્ટમી હોય કે મહાવીર જયંતી..શ્રી અધિક માસ હોય કે શ્રી પર્યુષણ ..બધા જ તહેવારો અમે બધા સાથે મળી ને ઊજવીએ છીએ... અહીં નાં અન્ય શહેરો જેવા કે પોર્ટસુદાન, કસાલા ઇત્યાદિ શહેરો માં પણ આપણાં ગુજરાતીઓ ઊત્સાહ પુર્વક દરેક તહેવારો ઉજવે છે... અહીં નાની મોટી કોઇ પણ પદવી ભુલી બધાં ભારતીયો હિંદુત્વ નાં રંગે રંગાઈ ને દરેક તહેવાર હોંશે હોંશે ઊજવવા માં પુરો સહકાર આપે છે. જેમ કે અત્રે ની ભારત ખાતા ની એલચી કચેરી નાં વડાં માનનીય એમ્બેસેડર સાહેબ - એમનું કુટુંબ - એમની ઑફિસ નો સ્ટાફ તથા અન્ય ભારતીયો પણ આપણાં ગુજરાતી તહેવારો ઊજવવા માં પુરો સહકાર આપે છે..અને ત્યારે આપણાં દેશ થી-આપણાં સ્વજનો થી જોજનો દૂર હોવા નાં દર્દ નો અહેસાસ જરા હળવો થાય છે.. અહીં વસતાં દરેક ગુજરાતીઓ નાં હ્રદય પરોપકાર-વૃતિ ની ભાવના થી ભરેલાં છે..તમે એક બીજા ને ઓળખતાં ના હો તો પણ તમે કોઇ પણ ગુજરાતી ને મદદ માટે બોલાવો, એ ગમે ત્યાં હશે, ત્યાંથી મદદ કરવા તત્પર રહેશે..!....આ જ તો છે ગુજરાત ની ગરિમા..! અને આ જ છે એક સાચા હિંદુસ્તાની ની ઓળખ ..!.. ' સર્વ ધર્મ સમાન ' જેની સંસ્કૃતિ છે અને પરોપકાર જેમનો ધર્મ છે એવી અનોખા વ્યક્તિત્વ ની ઓળખ એટલે એક હિંદુસ્તાની..!..આ માટે એટ્લું જ કહેવાનું મન થાય છે....सारे जंहा से अच्छा हिंदुस्तान हमारा ~ मेरा भारत महान !
      26978035